આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે ઝડપે આગળ વધી રહ્યું છે, તેનાથી નોકરીઓ પર ખતરો હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. ખાસ કરીને સોફ્ટવેર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં AI એ સૌથી મોટો બદલાવ લાવ્યો છે. હવે દુનિયાની દિગ્ગજ ચિપ નિર્માતા કંપની એનવિડિયાના CEO જેનસન હુઆંગે એક મોટો દાવો કર્યો છે. તેમના મતે, આગામી સમયમાં એન્જિનિયરોનું મૂલ્યાંકન, તેમની હાયરિંગ પ્રક્રિયા અને સેલેરી નક્કી કરવાના માપદંડો સંપૂર્ણપણે બદલાઈ જશે. જાણો આ નવો બેન્ચમાર્ક શું હશે.

