India export growth: દુનિયાભરમાં અત્યારે આર્થિક મંદી અને અનિશ્ચિતતાનો માહોલ ચાલી રહ્યો છે. પરંતુ, આવા મુશ્કેલ સમયમાં પણ ભારત માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, એપ્રિલથી ઓગસ્ટ 2026ના સમયગાળા દરમિયાન ભારતના માલસામાનની નિકાસમાં લગભગ 15%નો જંગી વધારો થયો છે. જ્યારે દુનિયાના ઘણા મોટા બજારોમાં માંગ અને વેપારને લઈને ચિંતાઓ સતાવી રહી છે, ત્યારે ભારતનું એક્સપોર્ટ સેક્ટર મજબૂત પ્રદર્શન કરી રહ્યું છે.

