નાણાકીય સેવાઓ સચિવ એમ. નાગરાજુએ ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) સેક્ટર્સ માટે એક નવી ક્રેડિટ ગેરંટી યોજના શરૂ કરશે, જેના હેઠળ 100 કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. તેમણે 'ગ્રામીણ ભારત મહોત્સવ'ના સમાપન સમારોહમાં કહ્યું, "અમે એક યોજના લાવવા જઈ રહ્યા છીએ જેની જાહેરાત નાણામંત્રીએ તેમના છેલ્લા બજેટમાં કરી હતી. આ અંતર્ગત, જો તેઓ પહેલેથી જ કોઈ ઉદ્યોગ ચલાવતા હોય, તો ગેરંટી વિના રુપિયા 100 કરોડ સુધીની લોન ઉપલબ્ધ કરાવી શકાય છે. આ યોજના ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળ સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવશે.