Get App

Gold Silver Investment: દુનિયામાં 95 ધાતુઓ છે તો પણ સોના-ચાંદી જ કેમ લોકોની પહેલી પસંદ? જાણો તેનું અસલી અને વૈજ્ઞાનિક કારણ

Gold Silver Investment: દુનિયામાં અનેક ધાતુઓ હોવા છતાં લોકો સોના-ચાંદી પાછળ કેમ ઘેલા છે? શું છે તેનું વૈજ્ઞાનિક અને ઐતિહાસિક કારણ? સોનું કેમ ક્યારેય કાળું નથી પડતું? જાણો આ ખાસ અહેવાલમાં.

MoneyControl Newsઅપડેટેડ Feb 06, 2026 પર 5:06 PM
Gold Silver Investment: દુનિયામાં 95 ધાતુઓ છે તો પણ સોના-ચાંદી જ કેમ લોકોની પહેલી પસંદ? જાણો તેનું અસલી અને વૈજ્ઞાનિક કારણGold Silver Investment: દુનિયામાં 95 ધાતુઓ છે તો પણ સોના-ચાંદી જ કેમ લોકોની પહેલી પસંદ? જાણો તેનું અસલી અને વૈજ્ઞાનિક કારણ
Gold Silver Investment: શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણી આસપાસ લોખંડ, તાંબુ, પિત્તળ અને એલ્યુમિનિયમ જેવી અનેક ધાતુઓ છે, છતાં જ્યારે વાત દાગીના કે સંપત્તિની આવે ત્યારે લોકોની નજર માત્ર સોના અને ચાંદી પર જ કેમ અટકે છે?

Gold Silver Investment: શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણી આસપાસ લોખંડ, તાંબુ, પિત્તળ અને એલ્યુમિનિયમ જેવી અનેક ધાતુઓ છે, છતાં જ્યારે વાત દાગીના કે સંપત્તિની આવે ત્યારે લોકોની નજર માત્ર સોના અને ચાંદી પર જ કેમ અટકે છે? વિજ્ઞાન અનુસાર પૃથ્વી પર અંદાજે 95 જેટલી અલગ-અલગ ધાતુઓ અસ્તિત્વમાં છે, પણ માનવ ઇતિહાસમાં હજારો વર્ષોથી સોના-ચાંદીનું સ્થાન રાજા જેવું રહ્યું છે. ઇજિપ્તના પિરામિડ હોય કે ભારતની જૂની સંસ્કૃતિ, આ બે ધાતુઓ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે. ચાલો જાણીએ તેના પાછળના ખાસ કારણો.

ક્યારેય ખરાબ ન થતી ‘નોબલ મેટલ્સ'

સોના અને ચાંદીની આટલી બધી માંગ પાછળનું સૌથી મોટું અને વૈજ્ઞાનિક કારણ તેની ‘રાસાયણિક સ્થિરતા' છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ બંને ‘નોબલ મેટલ્સ' (Noble Metals) કહેવાય છે. સાદી ભાષામાં સમજવું હોય તો, આ ધાતુઓ પર હવા, પાણી કે ભેજની કોઈ જ અસર થતી નથી.

તમે જોયું હશે કે લોખંડને હવામાં ખુલ્લું રાખો તો કાટ લાગી જાય છે અને તાંબાના વાસણો સમય જતાં લીલા પડી જાય છે. પરંતુ સોનું એવું છે કે તે હજારો વર્ષ પછી પણ એટલું જ ચમકદાર રહે છે. તે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી, એટલે જ તે સદીઓ સુધી સુરક્ષિત રહે છે.

કુદરતી શુદ્ધતા અને ઘડતરમાં સરળતા

આજના જમાનામાં તો ધાતુ ઓગાળવા માટે મોટી ફેક્ટરીઓ છે, પણ હજારો વર્ષ પહેલા જ્યારે આવી ટેકનોલોજી નહોતી, ત્યારે પણ લોકો સોનું વાપરતા હતા. તેનું કારણ એ છે કે સોનું અને ચાંદી ઘણીવાર નદી કિનારે કે ખડકોમાં શુદ્ધ સ્વરૂપે મળી આવતા હતા.

બીજી એક ખાસિયત એ છે કે સોનું ખૂબ જ નરમ ધાતુ છે. તેને માત્ર હથોડાથી ટીપીને મનગમતો ઘાટ આપી શકાય છે. તેની નરમાશ (Malleability) એટલી જોરદાર હોય છે કે માત્ર 1 ગ્રામ સોનાને ટીપીને તેમાંથી 1 ચોરસ મીટર જેટલી પાતળી શીટ બનાવી શકાય છે. પુરાતત્વ વિભાગને જ્યારે ખોદકામ દરમિયાન રાજા-મહારાજાઓના મૃતદેહો મળ્યા, ત્યારે તેમની સાથે દફનાવેલા સોનાના દાગીના સદીઓ પછી પણ ચમકતા મળી આવ્યા હતા. ઇતિહાસ સાક્ષી છે કે ઈ.સ. પૂર્વે 5000થી 6000ના સમયથી માણસ સોનાનો ઉપયોગ કરતો આવ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો