12 જૂને અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન અકસ્માત બાદથી એર ઇન્ડિયા મુશ્કેલ સમયનો સામનો કરી રહી છે. તાજેતરમાં, ટાટા ગ્રુપની આ એરલાઈન કંપનીએ એક મોટો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયાએ તેની વાઇડબોડી પ્લેન વાળી આંતરરાષ્ટ્રીય સેવાઓમાં 15% ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે આ કાપ તાત્કાલિક અસરથી 20 જૂન સુધી લાગુ રહેશે અને ત્યારબાદ જુલાઈના મધ્ય સુધી ચાલુ રહી શકે છે.