દિલ્હી હાઈકોર્ટે યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ડાબર ઈન્ડિયા લિમિટેડની અરજી પર આદેશ આપ્યો છે કે પતંજલિ ડાબર ચ્યવનપ્રાશ વિરુદ્ધ ભ્રામક અને નકારાત્મક એડ પ્રસારિત ન કરે. આ આદેશ ન્યાયમૂર્તિ મિની પુષ્કર્ણાની અધ્યક્ષતાવાળી બેન્ચે આપ્યો હતો, અને કેસની આગળની સુનાવણી 14 જુલાઈ, 2025ના રોજ નક્કી કરવામાં આવી છે.