26 વર્ષની લાંબી રાહ, દુર્ગમ પહાડી રસ્તાઓ, ગાઢ જંગલો, ભૂસ્ખલનની સમસ્યાઓ અને મર્યાદિત કામકાજની સીઝનને પાર કરીને ભારતીય રેલવેએ આખરે મિઝોરમની રાજધાની આઈઝોલને રેલ નેટવર્ક સાથે જોડી દીધું છે. બૈરાબી-સૈરાંગ રેલવે પ્રોજેક્ટનું કામ જૂન 2024માં પૂર્ણ થયું, અને હવે આઈઝોલ ભારતના રેલ નકશે સ્થાન મેળવશે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.