અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફરીથી દબાણ ન થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા તળાવની ફરતે દીવાલ ચણવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે, તળાવના આધુનિક વિકાસ અને નવીનીકરણ માટે 36.38 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ સુવિધાઓ ઊભી કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો હેતુ ચંડોળા તળાવને પર્યટનના આકર્ષણનું કેન્દ્ર બનાવવાનો અને સ્થાનિક લોકો માટે હરવા-ફરવાનું આકર્ષક સ્થળ બનાવવાનો છે.