Ahmedabad plane crash: અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ભયંકર વિમાન હાદસા બાદ એર ઇન્ડિયાના 112 પાયલટ્સે બીમારીની રજા લીધી હોવાની માહિતી સામે આવી છે. આ દુર્ઘટના 12 જૂન 2025ના રોજ થઇ હતી. જેમાં એક યાત્રીને બાદ કરતાં વિમાનમાં સવાર તમામ 241 લોકોનાં મોત થયાં હતાં. આ ઉપરાંત વિમાન બી.જે. મેડિકલ કૉલેજના હૉસ્ટેલની ઇમારત પર પડ્યું, જેના કારણે જમીન પર પણ 19 લોકોનાં મોત થયાં અને 67 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ હાદસામાં કુલ 260 લોકોનાં જીવ ગયા.