ગુજરાતના અમદાવાદમાં આજે બપોરે એર ઇન્ડિયાનું લંડન-ગેટવિક જતું વિમાન AI171 ક્રેશ થયું, જેમાં ક્રૂ મેમ્બર્સ સહિત 91 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ દુર્ઘટના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક થઈ, જેના કારણે શહેરમાં ભયનો માહોલ છવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટનાને "દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ" ગણાવી, ઊંડો શોક વ્યક્ત કર્યો છે.