રાજકોટમાં સમૂહલગ્નના નામે ફરી એકવાર છેતરપિંડીનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ગત ફેબ્રુઆરી 2025માં યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજન દરમિયાન દીકરીઓને આણામાં આપવામાં આવેલી સોનાની વસ્તુઓ નકલી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ઘટનાને લઈને રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં આયોજકો સામે અરજી દાખલ કરવામાં આવી છે, જેના કારણે શહેરમાં ખળભળાટ મચી ગયો છે.