પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે આ વર્ષે અમરનાથ યાત્રા 2025ને 38 દિવસ માટે ટૂંકી કરવામાં આવી છે. આ યાત્રા 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં અગાઉના વર્ષોની સરખામણીએ સૌથી વધુ હાઇટેક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લગભગ 58,000 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ (CAPF)ના જવાનો, ડ્રોન અને જામરની તૈનાતી સાથે યાત્રીઓની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવશે.