બોલીવુડના જાણીતા કોમેડિયન રાજપાલ યાદવ અને તેમના ચાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. લાંબા સમયથી ચેક બાઉન્સ કેસમાં કાયદાકીય લડત લડી રહેલા અભિનેતાને આખરે જામીન મળી ગયા છે. દિલ્હી હાઈકોર્ટના આદેશનું પાલન કરતા રાજપાલ યાદવે કોર્ટમાં જંગી રકમ જમા કરાવી દીધી છે, જેના બદલામાં તેમને આ રાહત મળી છે.

