ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની ચીન યાત્રાને બંને દેશો વચ્ચે સંબંધો સુધારવાની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. પરંતુ આ યાત્રા પહેલા ચીનના દૂતાવાસે દલાઈ લામાના ઉત્તરાધિકાર મુદ્દે ભારતને તીખી ચેતવણી આપી છે. ચીને આ મુદ્દાને પોતાનો આંતરિક મામલો ગણાવીને કહ્યું કે, "શીઝાંગ કાર્ડ ખેલવું એ નિશ્ચિત રૂપે પોતાના પગ પર કુહાડી મારવા જેવું છે."