ભારતમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા 6,491 સુધી પહોંચી ગઈ છે, જે દેશમાં વાયરસના વધતા પ્રકોપનો સંકેત આપે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 358 નવા કેસ નોંધાયા છે, જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા 6,000ને પાર કરી ગઈ છે. જોકે, રાહતની વાત એ છે કે આ સમયગાળામાં કોરોનાને કારણે કોઈ મોત નોંધાઈ નથી.