Captain Anshuman Singh: કીર્તિ ચક્ર વિજેતા શહીદ કેપ્ટન અંશુમાન સિંહના માતા-પિતાએ પરિવારના સભ્યોને આર્થિક સહાય માટે ભારતીય સેનાના NOK (નેક્સ્ટ ઓફ કિન)માં ફેરફારની માંગ કરી છે. ગયા વર્ષે જુલાઈમાં સિયાચીનમાં પોતાના સાથી જવાનોને આગથી બચાવતા કેપ્ટન અંશુમાન સિંહ શહીદ થયા હતા. તેમના પિતા રવિ પ્રતાપ સિંહ અને માતા મંજુ સિંહે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા દાવો કર્યો હતો કે, તેમની વહુ સ્મૃતિ સિંહ હવે તેમની સાથે નથી રહેતી. માતા-પિતાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તેમનો પુત્ર શહીદ થયો પરંતુ પુત્રવધૂએ બધું છીનવી લીધું.

