Get App

Captain Anshuman Singh: 'પુત્રવધૂ હવે અમારી સાથે નથી રહેતી, તે બધુ જ તેના પિયર લઈ ગઈ', કેપ્ટન અંશુમાન સિંહના માતા-પિતાએ NOKમાં ફેરફારની કરી માંગ

કેપ્ટન અંશુમાન સિંહ ગયા વર્ષે 19 જુલાઈના રોજ સિયાચીનમાં પોતાના સાથીઓને બચાવતા શહીદ થયા હતા. 5 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ દ્વારા તેમને મરણોત્તર કીર્તિ ચક્ર, ભારતનો બીજો સર્વોચ્ચ શાંતિ સમયનો વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન શહીદ અંશુમાન સિંહની પત્ની સ્મૃતિ સિંહ અને તેમની માતા મંજુ દેવીએ સ્વીકાર્યું હતું.

MoneyControl Newsઅપડેટેડ Jul 12, 2024 પર 12:50 PM
Captain Anshuman Singh: 'પુત્રવધૂ હવે અમારી સાથે નથી રહેતી, તે બધુ જ તેના પિયર લઈ ગઈ', કેપ્ટન અંશુમાન સિંહના માતા-પિતાએ NOKમાં ફેરફારની કરી માંગCaptain Anshuman Singh: 'પુત્રવધૂ હવે અમારી સાથે નથી રહેતી, તે બધુ જ તેના પિયર લઈ ગઈ', કેપ્ટન અંશુમાન સિંહના માતા-પિતાએ NOKમાં ફેરફારની કરી માંગ
માતા-પિતાએ દાવો કર્યો હતો કે તેમની પુત્રવધૂ હવે તેમને છોડીને તેના પિયર ચાલી ગઈ છે. એટલું જ નહીં પુત્રવધૂએ પોતાનું સરનામું પણ બદલી નાખ્યું છે.

Captain Anshuman Singh: કીર્તિ ચક્ર વિજેતા શહીદ કેપ્ટન અંશુમાન સિંહના માતા-પિતાએ પરિવારના સભ્યોને આર્થિક સહાય માટે ભારતીય સેનાના NOK (નેક્સ્ટ ઓફ કિન)માં ફેરફારની માંગ કરી છે. ગયા વર્ષે જુલાઈમાં સિયાચીનમાં પોતાના સાથી જવાનોને આગથી બચાવતા કેપ્ટન અંશુમાન સિંહ શહીદ થયા હતા. તેમના પિતા રવિ પ્રતાપ સિંહ અને માતા મંજુ સિંહે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા દાવો કર્યો હતો કે, તેમની વહુ સ્મૃતિ સિંહ હવે તેમની સાથે નથી રહેતી. માતા-પિતાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તેમનો પુત્ર શહીદ થયો પરંતુ પુત્રવધૂએ બધું છીનવી લીધું.

તેમણે કહ્યું કે, તેમના પુત્રના અવસાન બાદ તેમને જે સુવિધાઓ મળી રહી છે તેમાંથી મોટાભાગની સુવિધાઓ તેમની પુત્રવધૂને જ મળી રહી છે. ગયા વર્ષે 19 જુલાઈના રોજ સિયાચીનમાં પોતાના સાથીઓને બચાવતા કેપ્ટન અંશુમાન સિંહ શહીદ થયા હતા. 5 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ દ્વારા તેમને મરણોત્તર કીર્તિ ચક્ર, ભારતનો બીજો સર્વોચ્ચ શાંતિ સમયનો વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન શહીદ અંશુમાન સિંહની પત્ની સ્મૃતિ સિંહ અને તેમની માતા મંજુ દેવીએ સ્વીકાર્યું હતું. પરંતુ હવે શહીદના માતા-પિતાએ ચેનલ સાથે વાત કરતા તેમની પુત્રવધૂ સ્મૃતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

શહીદના પિતા રવિ પ્રતાપ સિંહે કહ્યું, "NOK માટે નક્કી કરાયેલ માપદંડ યોગ્ય નથી. મેં આ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે પણ વાત કરી છે. અંશુમનની પત્ની હવે અમારી સાથે નથી રહેતી, લગ્નને માત્ર પાંચ વર્ષ થયા છે. અને અમારી પાસે બાળક નથી.

તેમણે વધુમાં કહ્યું કે, તેથી અમે ઈચ્છીએ છીએ કે NOKની વ્યાખ્યા નક્કી કરવામાં આવે. એ નક્કી કરવું જોઈએ કે જો શહીદની પત્ની પરિવારમાં રહે છે તો કોના પર કેટલી નિર્ભરતા છે. તે જ સમયે માતા મંજુ સિંહે પણ કહ્યું કે, તે ઈચ્છે છે કે સરકાર NOK નિયમોમાં સુધારો કરે, જેથી અન્ય માતા-પિતાને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

બધા સમાચાર

+ વધુુ વાંચો