Germany Visa Free Transit: વિદેશ પ્રવાસ કરતા ભારતીય નાગરિકો માટે એક અત્યંત રાહતભર્યા અને આનંદના સમાચાર આવ્યા છે. જર્મનીએ ભારતીય પાસપોર્ટ ધારકો માટે ટ્રાન્ઝિટ વિઝાના નિયમોમાં મોટી છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય મુજબ, હવે ભારતીય મુસાફરોને જર્મની થઈને કનેક્ટિંગ ફ્લાઈટ પકડવા માટે અલગથી ટ્રાન્ઝિટ વિઝા લેવાની જરૂર નહીં પડે. ખાસ કરીને ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચે મુસાફરી કરતા લોકો માટે આ નિર્ણય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

