Indian Railways Kavach System: ભારતીય રેલવેમાં મુસાફરી કરતા લાખો યાત્રીઓ માટે એક ખૂબ જ મહત્વના અને સારા સમાચાર આવ્યા છે. રેલવે યાત્રાને હવે વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર બનાવવા માટે સરકાર મિશન મોડમાં કામ કરી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના નેતૃત્વમાં, પશ્ચિમ રેલવે (Western Railway)ને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

