Ban non-basmati rice : ભારત સરકાર આ વર્ષે ઓછામાં ઓછા નવેમ્બર સુધી બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ ચાલુ રાખી શકે છે. આ બાબતથી વાકેફ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, "ખરીફ પાક પર અલ નીનોની અસરને કારણે સરકાર આ નિર્ણય લઈ શકે છે." નામ ન આપવાની શરતે, સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, "ખરીફ પાક પર અલ નીનોની અસર વિશે આગાહી કરવામાં આવી રહી છે! સરકાર તેના વિશે જાગૃત છે. જો અલ નીનોની અસર જોવા મળે છે, તો સરકાર પહેલેથી જ તૈયાર છે."

