ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ વખતે મેઘરાજાએ આગમન સાથે જ આફત વેરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે, જેના કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે, 120 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, અને 584 લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈપણ આફતનો સામનો કરી શકાય.