ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદે વિનાશ વેર્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આ સ્થિતિમાં 7 જળાશયોને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે 6 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, અને NDRF તેમજ SDRFની ટીમો રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ છે. ભાવનગરનો નેશનલ હાઈવે બંધ થયો છે, અને રાજ્યના 241 ગામોમાં વીજળી ગુલ થઈ છે.