India-China relations: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે તાજેતરની મુલાકાતમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત-ચીન સંબંધોમાં કોઈ ત્રીજા દેશ, ખાસ કરીને પાકિસ્તાન,ની કોઈ દખલગીરી કે હિતની જગ્યા નથી. આ મુલાકાત 14 જુલાઈના રોજ થઈ હતી, જેમાં 2020માં પૂર્વી લદ્દાખમાં LAC પર ચીનની ઘૂસણખોરી બાદ બંને દેશોના સંબંધોની દિશા પર ચર્ચા થઈ.