India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલ (વ્યાપાર સમજૂતી) હાલ રાજકીય ગલિયારામાં ચર્ચાનો વિષય બની છે. આ મુદ્દે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો વચ્ચે હવે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મોરચો સંભાળ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ખાતરી આપી છે કે આ ડીલ કરતી વખતે ભારતના હિતો સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવી નથી.

