Indian Air Force: ભારતીય વાયુસેનાનો ઐતિહાસિક મિગ-21 ફાઇટર જેટ, જેણે 60 વર્ષથી વધુ સમય સુધી દેશની સેવા કરી, આજે શુક્રવારે રિટાયર થઈ રહ્યો છે. ચંદીગઢમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ અમર પ્રીત સિંહ સહિત અન્ય અધિકારીઓ હાજર રહેશે. આ દરમિયાન મિગ-21ના બાદલ ફોર્મેશનનું ફ્લાયપાસ્ટ પણ થશે, જે આ વિમાનની વિદાયને યાદગાર બનાવશે.