Indian Navy Udayagiri Himagiri: ભારતીય નૌસેના માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. 26 ઓગસ્ટ 2025ના રોજ નૌસેના બે અદ્યતન યુદ્ધનૌકાઓ, ઉદયગિરિ (F35) અને હિમગિરિ (F34),ને વિશાખાપટ્ટનમ ખાતે એકસાથે સામેલ કરવાની તૈયારી કરી રહી છે. આ પ્રથમ વખત છે જ્યારે બે મોટા સરફેસ કોમ્બેટન્ટ શિપ્સ એકસાથે નૌસેનામાં જોડાશે. આ પગલું રક્ષા ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની પહેલને મજબૂતી આપે છે.