T20 World Cup 2024 champions: T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ આખરે ત્રણ દિવસ સુધી બાર્બાડોસમાં ફસાયા બાદ ગ્રાન્ટલી એડમ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચાર્ટર્ડ ફ્લાઈટ મારફતે બુધવારે (3 જુલાઈ) દિલ્હી જવા રવાના થઈ. આ ફ્લાઈટમાં ભારતીય ટીમ, તેનો સપોર્ટ સ્ટાફ, ખેલાડીઓના પરિવારો, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના કેટલાક અધિકારીઓ અને ભારતીય મીડિયાના કેટલાક સભ્યો છે. BCCI દ્વારા આ વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે 29 જૂને ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે સાત રનથી રોમાંચક જીત મેળવીને ટાઇટલ જીત્યું હતું.

