Get App

ઈરાનના કાળા વાદળોનો ભારત પર ખતરો: ગુજરાત સહિત 3 રાજ્યોમાં એસિડ રેન અને જીવલેણ બીમારીઓનું મોટું સંકટ!

Iran Israel war impact on India: ઈરાનમાં તેલના કુવાઓ પર હુમલાથી ઉઠેલા ઝેરી કાળા વાદળો ગુજરાત, રાજસ્થાન અને પંજાબ માટે મોટો ખતરો બની શકે છે. જાણો એસિડ રેન અને સ્વાસ્થ્ય પર તેની શું અસર થશે.

MoneyControl Newsઅપડેટેડ Mar 15, 2026 પર 10:54 AM
ઈરાનના કાળા વાદળોનો ભારત પર ખતરો: ગુજરાત સહિત 3 રાજ્યોમાં એસિડ રેન અને જીવલેણ બીમારીઓનું મોટું સંકટ!ઈરાનના કાળા વાદળોનો ભારત પર ખતરો: ગુજરાત સહિત 3 રાજ્યોમાં એસિડ રેન અને જીવલેણ બીમારીઓનું મોટું સંકટ!
Iran Israel war impact on India: ઈરાનમાં તેલના કુવાઓ પર હુમલાથી ઉઠેલા ઝેરી કાળા વાદળો ગુજરાત, રાજસ્થાન અને પંજાબ માટે મોટો ખતરો બની શકે છે.

Iran Israel war impact on India: ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે માત્ર આર્થિક કે રાજકીય નુકસાન પૂરતું સીમિત નથી રહ્યું. આ યુદ્ધ હવે દુનિયાના ઘણા દેશો માટે એક ગંભીર સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંકટ બની ગયું છે. નવાઈની વાત એ છે કે, હજારો કિલોમીટર દૂર ચાલી રહેલા આ યુદ્ધની માઠી અસર ગુજરાત સહિત ભારતના 3 રાજ્યો પર પડી શકે છે.

આ ગંભીર મુદ્દે પ્રખ્યાત આબોહવા વૈજ્ઞાનિક (Climate Scientist) અને પર્યાવરણ નીતિ નિષ્ણાત પ્રોફેસર અંજલ પ્રકાશે ચોંકાવનારી માહિતી આપી છે. પ્રોફેસર અંજલ ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ (ISB) માં ક્લિનિકલ એસોસિએટ પ્રોફેસર છે અને IPCC ના લીડ ઓથર રહી ચૂક્યા છે.

આકાશમાં છવાયા ઝેરી કાળા વાદળો

ઈરાનના તેલના ભંડારો પર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક બાદ, રાજધાની તેહરાન અને તેની આસપાસના વિસ્તારોનું આકાશ કાળા અને ઝેરી ધુમાડાથી ભરાઈ ગયું છે. આ ધુમાડાને કારણે લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ઈરાનની ‘રેડ ક્રીસેન્ટ સોસાયટી'એ લોકોને ‘એસિડ રેન' (એસિડ વર્ષા)થી બચવા માટે ખાસ ચેતવણી આપી છે.

ગુજરાત, રાજસ્થાન અને પંજાબ પર શું છે ખતરો?

ભારત અને ઈરાન વચ્ચે હિમાલય અને ઘણું અંતર હોવાથી સીધો ખતરો ઓછો છે. હાલમાં ઈરાનથી પાકિસ્તાનના બલૂચિસ્તાન તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે. પાકિસ્તાને તો આ ઝેરી ધુમાડા અંગે એલર્ટ પણ જાહેર કરી દીધું છે. પરંતુ પ્રોફેસર અંજલ પ્રકાશના જણાવ્યા અનુસાર, જો આકાશના ઉપરના સ્તરે ફૂંકાતી હવાઓ (જેને જેટ સ્ટ્રીમ કહેવાય છે) મજબૂત બનશે, તો આ તેલના સળગવાથી ઉત્પન્ન થયેલા ઝેરી કણો ગુજરાત, રાજસ્થાન અને પંજાબ સુધી પહોંચી શકે છે. HYSPLIT જેવા વૈશ્વિક મોડલ્સ દર્શાવે છે કે આ ખતરનાક કણો માત્ર 5 થી 10 દિવસમાં 2000 થી 3000 કિલોમીટર દૂર સુધી ફેલાઈ શકે છે.

એસિડ રેન અને ઝેરી ધુમાડાની ભયંકર અસરો:

બધા સમાચાર

+ વધુુ વાંચો