Jammu Kashmir Statehood: જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં અત્યારે મોટી હલચલ જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી જે વાતની ચર્ચા ચાલી રહી હતી, તેના પર હવે કેન્દ્ર સરકારે એક મોટો અને સકારાત્મક ઈશારો કર્યો છે. વાત જાણે એમ છે કે, જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો (Statehood) આપવા અંગે મોદી સરકાર ટૂંક સમયમાં કોઈ મહત્વનો નિર્ણય લઈ શકે છે. આ અંગેના સંકેત ખુદ કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે આપ્યા છે.

