EAM Jaishankar Statement: ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ આખી દુનિયામાં એક જ ચર્ચા છે, શું ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે? આ અટકળો વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે મ્યુનિક સુરક્ષા સંમેલનના મંચ પરથી દુનિયાને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. તેમણે અમેરિકા અને પશ્ચિમી દેશોને રોકડું પરખાવતા કહ્યું છે કે ભારત પોતાની ‘રણનીતિક સ્વાયત્તતા' (Strategic Autonomy) સાથે કોઈ સમજૂતી નહીં કરે.

