Get App

રશિયન તેલ પર અમેરિકાના દબાણ સામે જયશંકરનો કડક જવાબ: ‘ભારત પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે'

EAM Jaishankar Statement: વિદેશ મંત્રી એસ જયશંકરે મ્યુનિકમાં સ્પષ્ટ કર્યું કે ભારત રશિયન તેલ ખરીદવા મામલે કોઈના દબાણમાં નહીં આવે. જાણો અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અને ભારતના મક્કમ વલણ વિશે વિગતે.

MoneyControl Newsઅપડેટેડ Feb 15, 2026 પર 11:09 AM
રશિયન તેલ પર અમેરિકાના દબાણ સામે જયશંકરનો કડક જવાબ: ‘ભારત પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે'રશિયન તેલ પર અમેરિકાના દબાણ સામે જયશંકરનો કડક જવાબ: ‘ભારત પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે'
EAM Jaishankar Statement: વિદેશ મંત્રી એસ જયશંકરે મ્યુનિકમાં સ્પષ્ટ કર્યું કે ભારત રશિયન તેલ ખરીદવા મામલે કોઈના દબાણમાં નહીં આવે.

EAM Jaishankar Statement: ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ આખી દુનિયામાં એક જ ચર્ચા છે, શું ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે? આ અટકળો વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે મ્યુનિક સુરક્ષા સંમેલનના મંચ પરથી દુનિયાને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. તેમણે અમેરિકા અને પશ્ચિમી દેશોને રોકડું પરખાવતા કહ્યું છે કે ભારત પોતાની ‘રણનીતિક સ્વાયત્તતા' (Strategic Autonomy) સાથે કોઈ સમજૂતી નહીં કરે.

ભારત કોઈના દબાણમાં નહીં આવે

મ્યુનિક સુરક્ષા સંમેલનમાં એસ જયશંકરે સ્પષ્ટ કર્યું કે ભારતની ઊર્જા અને વિદેશ નીતિના નિર્ણયો સંપૂર્ણપણે સ્વતંત્ર હશે. તેમણે વોશિંગ્ટનને સીધો સંકેત આપ્યો કે ભારત કોઈ પણ બહારના દબાણમાં આવીને નિર્ણયો લેશે નહીં. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ દાવો કર્યો કે નવી ટ્રેડ ડીલ હેઠળ ભારત રશિયન તેલ નહીં ખરીદવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક આદેશમાં પણ એવું કહેવામાં આવ્યું હતું કે ભારત રશિયન તેલને બદલે અમેરિકન ઊર્જા ઉત્પાદનોની ખરીદી વધારશે.

આ દાવાઓ પર પલટવાર કરતા જયશંકરે કહ્યું, "શું હું સ્વતંત્ર વિચાર રાખી શકું? શું હું મારા નિર્ણયો જાતે લઈ શકું? શું હું એવા નિર્ણયો લઈ શકું જે તમારી કે અન્ય કોઈની વિચારધારા સાથે મેળ ન ખાતા હોય? હા, બિલકુલ એવું બની શકે છે."

તેલ ખરીદવું એ બિઝનેસનો નિર્ણય છે, રાજનીતિનો નહીં

જયશંકરે તેલ કંપનીઓના નિર્ણયો પાછળનું તર્ક સમજાવતા કહ્યું કે આ નિર્ણયો સંપૂર્ણપણે વ્યાપારી હોય છે. જેમ યુરોપની કંપનીઓ તેલની ઉપલબ્ધતા, કિંમત અને જોખમ જોઈને ખરીદી કરે છે, તેમ ભારતીય કંપનીઓ પણ પોતાના હિતને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે દુનિયા હવે 2022 કે 2023 ના સમયમાં નથી જીવી રહી. હવે સંજોગો બદલાયા છે અને દરેક દેશ પોતાની સુવિધા અનુસાર નિર્ણયો લઈ રહ્યો છે.

રશિયન તેલની આયાતમાં ઘટાડો: આંકડા શું કહે છે?

બધા સમાચાર

+ વધુુ વાંચો