જમ્મુ-કાશ્મીરમાં રેલવે કનેક્ટિવિટીને નવો રંગ આપતી કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત થઈ ચૂકી છે. આ ટ્રેન શ્રી માતા વૈષ્ણો દેવી કટરા અને શ્રીનગર વચ્ચે દોડશે, જેનાથી યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે કાશ્મીરની સફર વધુ સરળ અને આરામદાયક બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6 જૂન, 2025ના રોજ આ ટ્રેનને લીલી ઝંડી બતાવી, અને હવે 7 જૂન, 2025થી આ ટ્રેન નિયમિત રીતે દોડવાનું શરૂ કરશે. આ આર્ટિકલમાં અમે તમને કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટિકિટ ભાડા, ટાઇમ ટેબલ, સ્ટોપેજ અને રૂટની સંપૂર્ણ માહિતી આપીશું.