ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ કર્યો છે. જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (GAD) દ્વારા 9 IAS અધિકારીઓની બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાંથી 3 અધિકારીઓને બદલી સાથે વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, 4 અન્ય IAS અધિકારીઓને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના વિવિધ વિભાગો અને જિલ્લાઓમાં વહીવટી કામગીરીને વધુ સુચારુ બનાવવાનો ઉદ્દેશ્ય છે.