Railway Project: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રેલવે સંબંધિત સાત પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ નવી રેલ્વે લાઇન નાખવા અને રેલ લાઇન અપગ્રેડેશન સાથે સંબંધિત છે. CNBC બજારના સૂત્રો દ્વારા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ્સ આશરે રૂ. 20,000 કરોડના ખર્ચે પૂર્ણ થશે. આ રૂ. 4,195 કરોડના ખર્ચે સમગ્ર ભારતમાં 508 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસની તૈયારીઓનો એક ભાગ છે. આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમૃત ભારત સ્ટેશન (Amrit Bharat Station Scheme) યોજનાને અનુરૂપ છે.

