ભારતમાં દરરોજ લાખો લોકોને અજાણ્યા નંબરો પરથી આવતા ટેલિમાર્કેટિંગ કોલ્સ અને મેસેજનો સામનો કરવો પડે છે. આ અનવોન્ટેડ કોલ્સથી છુટકારો મેળવવા માટે દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા ટેલિમાર્કેટર્સને રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં લાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ આ દરખાસ્તને નકારી કાઢી છે. આ નિર્ણયના કારણે યુઝર્સને ફ્રોડ કોલ્સથી રાહત મળવાની શક્યતા ઓછી થઈ ગઈ છે. આ મામલે DoT અને TRAI વચ્ચે મતભેદ સામે આવ્યા છે. ચાલો, આ સમગ્ર મામલો વિગતે સમજીએ.