Colombia Plane Crash: આજનો દિવસ કોલંબિયા માટે અત્યંત દુઃખદ સાબિત થયો છે. અહીં એક કાળજું કંપાવી દે તેવી વિમાન દુર્ઘટના બની છે, જેમાં એક સાંસદ સહિત કુલ 15 લોકોના કરુણ મોત થયા છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


Colombia Plane Crash: આજનો દિવસ કોલંબિયા માટે અત્યંત દુઃખદ સાબિત થયો છે. અહીં એક કાળજું કંપાવી દે તેવી વિમાન દુર્ઘટના બની છે, જેમાં એક સાંસદ સહિત કુલ 15 લોકોના કરુણ મોત થયા છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
લેન્ડિંગ પહેલા જ તૂટ્યો સંપર્ક
મળતી માહિતી મુજબ, આ ઘટના બુધવારે બની હતી. 'Beechcraft 1900' નામનું એક કોમર્શિયલ પ્લેન કુકુટાથી ઓકાણા જવા માટે નીકળ્યું હતું. સવારે 11:42 વાગ્યે વિમાને ઉડાન ભરી હતી. જોકે, ઉડાનના થોડા જ સમય બાદ અચાનક વિમાનનો રડાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. ચોંકાવનારી વાત એ છે કે, વિમાન તેના ડેસ્ટિનેશન પર લેન્ડ કરે તેની માત્ર 11 મિનિટ પહેલા જ આ દુર્ઘટના બની હતી.
રાજ્ય એરલાઇન SATENAના જણાવ્યા અનુસાર, વિમાનનો છેલ્લો સંપર્ક 'કૅટટુમ્બો' (Catatumbo) વિસ્તાર ઉપર થયો હતો. ત્યારપછી તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયું હતું.
પહાડોમાંથી મળ્યો કાટમાળ
વિમાન ગાયબ થયા બાદ તાત્કાલિક ધોરણે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તાર ખૂબ જ પહાડી અને દુર્ગમ હોવાથી તેમજ હવામાન ખરાબ હોવાથી બચાવ ટુકડીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અંતે કૅટટુમ્બોના પહાડી વિસ્તારમાંથી વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો.
તપાસ બાદ એરલાઇન સત્તાવાળાઓએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 13 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સ મળીને કુલ 15 લોકોના મોત થયા છે. કોઈનો પણ જીવ બચાવી શકાયો નથી.
સાંસદ અને રાજકીય નેતાનું નિધન
આ દુર્ઘટનામાં કોલંબિયાએ પોતાના એક નેતા પણ ગુમાવ્યા છે. મૃતકોમાં કોલંબિયાની સંસદ (ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ)ના સભ્ય ડિયોજેનેસ કિંતેરો અને આવનારી ચૂંટણીના ઉમેદવાર કાર્લોસ સાલ્સેડો નો પણ સમાવેશ થાય છે. સાથી સાંસદ વિલમર કેરિલોએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમની ટીમ આ જ વિમાનમાં મુસાફરી કરી રહી હતી.
તપાસના આદેશ અને સરકારની મદદ
અકસ્માતનું સાચું કારણ જાણવા માટે કોલંબિયાની સિવિલ એવિએશન એજન્સીએ એક ઉચ્ચ સ્તરીય તપાસ ટીમ બનાવી છે. હાલમાં એરોસ્પેસ ફોર્સ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહ્યા છે. તપાસકર્તાઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ અકસ્માત કોઈ ટેકનિકલ ખામીને કારણે થયો હતો કે પછી ખરાબ હવામાન જવાબદાર હતું.
સરકારે મૃતકોના પરિવારજનોને મદદ મળી રહે તે માટે એક વિશેષ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.