Padma Awards 2026: દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે 25 જાન્યુઆરીએ એક ગૌરવવંતી જાહેરાત કરી છે. વર્ષ 2026 માટેના પદ્મ પુરસ્કારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ વખતે કુલ 113 મહાનુભાવોને પદ્મ શ્રી એવોર્ડથી નવાજવામાં આવશે. ગૌરવની વાત એ છે કે આ યાદીમાં ગુજરાતના 5 સપૂતોનો સમાવેશ થાય છે, જેમણે કલા, સાહિત્ય અને સમાજસેવા ક્ષેત્રે દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે.

