Pahalgam Attack: ભારતે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને આંતરરાષ્ટ્રીય મંચ પર મોટું પગલું ભર્યું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં આતંકી સંગઠન 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)' અને પાકિસ્તાનની સંડોવણીના નક્કર પુરાવા રજૂ કરીને TRF પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. ભારતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પહેલગામ હુમલા પાછળ TRF અને તેના પાકિસ્તાની આકાઓનો હાથ છે.