ભારતીય સેનાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે પાકિસ્તાની સેનાએ પંજાબના અમૃતસરમાં આવેલા પવિત્ર સ્વર્ણ મંદિર પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય સેનાની સતર્કતા અને એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમના કારણે આ હુમલો નિષ્ફળ રહ્યો, અને સ્વર્ણ મંદિર પર એકપણ ખંચ આવી નહીં.