Somnath Swabhiman Parv: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને હાલ તેઓ આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં છે. પ્રભાસ પાટણમાં ચાલી રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં ભાગ લેવા માટે PM મોદી અહીં આવ્યા છે. જાન્યુઆરી 10 અને 11, 2026ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.

