Get App

Prayagraj Mahakumbh 2025: મહાકુંભ મેળા વિસ્તારમાં લાગી ભીષણ આગ, પીએમ મોદીએ સીએમ યોગી સાથે કરી વાત

પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગી હતી. દૂર દૂરથી જ્વાળાઓ અને ધુમાડાના ગોટા ઉડતા દેખાતા હતા. હાલ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 19, 2025 પર 6:37 PM
Prayagraj Mahakumbh 2025: મહાકુંભ મેળા વિસ્તારમાં લાગી ભીષણ આગ, પીએમ મોદીએ સીએમ યોગી સાથે કરી વાતPrayagraj Mahakumbh 2025: મહાકુંભ મેળા વિસ્તારમાં લાગી ભીષણ આગ, પીએમ મોદીએ સીએમ યોગી સાથે કરી વાત
રેલ્વે લાઇન નીચે ગીતા પ્રેસ ગોરખપુરના પંડાલમાં આગ લાગી હતી. આ આગમાં અખાડાઓને કોઈ નુકસાન થયું નથી.

Prayagraj Mahakumbh 2025: પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં આજે આગ લાગી હતી. મેળા વિસ્તારમાં દૂર દૂરથી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા. આગની ભીષણ જ્વાળાઓ ફેલાતી જોવા મળી. ઘટનાસ્થળે હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી અને તેઓ પોતે ઘટનાસ્થળે પહોંચ્યા. પ્રધાનમંત્રી મોદીએ સીએમ યોગી પાસેથી પણ ઘટનાની માહિતી લીધી.

મેળા વિસ્તારના સેક્ટર 19 માં આગ લાગી

મળતી માહિતી મુજબ, આ આગ મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર 19માં લાગી હતી. ચાર ફાયર એન્જિન આગ ઓલવવામાં લાગ્યા હતા અને થોડી જ વારમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગને કારણે હાલમાં કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.

બધા સમાચાર

+ વધુુ વાંચો