Prayagraj Mahakumbh 2025: પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં આજે આગ લાગી હતી. મેળા વિસ્તારમાં દૂર દૂરથી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા. આગની ભીષણ જ્વાળાઓ ફેલાતી જોવા મળી. ઘટનાસ્થળે હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી અને તેઓ પોતે ઘટનાસ્થળે પહોંચ્યા. પ્રધાનમંત્રી મોદીએ સીએમ યોગી પાસેથી પણ ઘટનાની માહિતી લીધી.

