Magh Mela 2026: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમ તટ પર ચાલી રહેલા પવિત્ર માઘ મેળામાં અત્યારે ભક્તિ કરતા વિવાદો વધારે ચર્ચામાં છે. મેળા પ્રશાસન (તંત્ર) અને જ્યોતિષ પીઠના સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ હવે આરપારની લડાઈ પર આવી ગઈ છે. તંત્ર દ્વારા સ્વામીજીને માત્ર 48 કલાકની અંદર બીજી કડક નોટિસ ફટકારવામાં આવી છે. એટલું જ નહીં, જો 24 કલાકમાં સંતોષકારક જવાબ નહીં મળે તો તેમને મેળામાં પ્રવેશવા પર પ્રતિબંધ (Ban) મુકવાની ચીમકી પણ આપવામાં આવી છે.

