Indian Railways: જાહેર સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને રોડ પર ગમે ત્યાં થૂંકવું કે ગંદકી ફેલાવવી એ ભારતમાં રોજિંદી સમસ્યા છે. આવા વર્તનથી માત્ર સ્વચ્છતા જ નહીં, પરંતુ મુસાફરોની સુવિધા અને આરોગ્ય પર પણ ખરાબ અસર પડે છે. આ સમસ્યાને નાથવા માટે ભારતીય રેલવેએ હવે કડક કાર્યવાહીનો રસ્તો અપનાવ્યો છે. ઇસ્ટર્ન રેલવેએ જાન્યુઆરી 2025થી માર્ચ 2025 સુધીના ત્રણ મહિનામાં 31,576 લોકોને રેલવે સ્ટેશનો પર ગંદકી ફેલાવવા બદલ પકડી પાડ્યા છે અને તેમની પાસેથી કુલ 32,31,740 રૂપિયાનો દંડ વસૂલ્યો છે.