Supreme Court Judgment: ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989ને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. ઘણીવાર જોવા મળે છે કે સામાન્ય ઝઘડાઓમાં પણ આ ગંભીર કાયદાની કલમો લગાવી દેવામાં આવે છે. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, માત્ર અપમાનજનક ભાષાનો પ્રયોગ કરવો એ આ એક્ટ હેઠળ ગુનો ગણાશે નહીં, સિવાય કે તે અપમાન પાછળનો ઈરાદો જાતિગત હોય.

