Cloudburst causes chaos in Kishtwar: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આવેલા ચુશોટી ગામમાં વાદળફાટવાથી ભયંકર તબાહી સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો હજુ લાપતા છે. અધિકારીઓનું માનવું છે કે મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે ઘણા લોકો કાટમાળની નીચે દટાયેલા હોવાની શંકા છે. આ આફત મચૈલ માતા યાત્રા માર્ગ પર થઈ, જેના કારણે અનેક તીર્થયાત્રીઓ પણ પ્રભાવિત થયા.