દક્ષિણ-પૂર્વ એશિયાના બે પડોશી દેશો, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે શિવ મંદિર તરીકે ઓળખાતા પ્રીહ વિહાર મંદિરને લઈને ચાલી રહેલો સીમા વિવાદ ખૂની સંઘર્ષમાં ફેરવાઈ ગયો. આ ઘટનામાં થાઈલેન્ડના 9 નાગરિકોના મોત થયા છે, જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે, જ્યારે 14 અન્ય ઘાયલ થયા છે. બંને દેશોની સેનાઓએ એકબીજા પર ગોળીબાર અને રોકેટ હુમલાઓ કર્યા, જેમાં થાઈલેન્ડે F-16 લડાકૂ વિમાનો દ્વારા કંબોડિયાના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા.