Tirupati Laddu: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના જગપ્રસિદ્ધ લાડુ પ્રસાદને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના રિપોર્ટમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, છેલ્લા 5 વર્ષ સુધી તિરુપતિના લાડુ બનાવવા માટે ભેળસેળવાળા ઘીનો ઉપયોગ થતો રહ્યો હતો.

