Get App

Bharti Airtelના શેરોમાં બે દિવસમાં 8%નો ઘટાડો, જાણો એક્સપર્ટની સલાહ

Bharti Airtel Share Price: ભારતી એરટેલના શેર પર આ સમય ભારી દબાણ જોવા મળી રહ્યું છે. આજે 11 જાન્યુઆરીએ ઇન્ટ્રા-ડે માં બીએસઈ પર પાંચ ટકાથી વધુ તૂટ્યો હતો. તે બે દિવસમાં લગભગ 8 ટકા નબળો પડ્યો છે. રોકાણકારો માટે એક્સપર્ટે ખાસ સૂચન આપ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 12, 2023 પર 11:21 AM
Bharti Airtelના શેરોમાં બે દિવસમાં 8%નો ઘટાડો, જાણો એક્સપર્ટની સલાહBharti Airtelના શેરોમાં બે દિવસમાં 8%નો ઘટાડો, જાણો એક્સપર્ટની સલાહ

Bharti Airtel Share Price: ભારતી એરટેલના શેર પર આ સમય ભારી દબાણ જોવા મળી રહ્યું છે. આજે 11 જાન્યુઆરીએ ઇન્ટ્રા-ડે માં બીએસઈ પર પાંચ ટકાથી વધુ તૂટ્યો હતો. તે બે દિવસમાં લગભગ 8 ટકા નબળો પડ્યો છે. JP Morganએ તેની રેટિંગને ડાઉનગ્રેડ કરી અંડરવેટ કરી દીધા છે તેમા કારણે તેના શેરોને ભારી વેચાવાલીનો સામનો કરવા પડી રહ્યો છે. તેના શેર હવે બીએસઈ પર 5.01 ટકાના ઘટાડાની સાથે 753.10 રૂપિયાના ભાવમાં મળી રહ્યા છે. વૈશ્વિક રિસર્ચ ફર્મ જેપી મૉર્ગનએ તેના ટારગેટ પ્રાઈઝ 710 રૂપિયા રાખ્યા છે જે હાજર ભાવથી 6 ટકા ડાઉનસાઇડ છે.

કેમ થયું ડાઉનગ્રેડ Bharti Airtelની રેટિંગ

રિલાયન્સ જિયો (Reliance Jio) તેના વિસ્તાર કરી રહી છે જેના કારણે ભારતી એરટેલની સામે સૌથી મોટો પડકાર તેના બજાર હિસ્સાને બચાવાની છે. તેની અસર કેપિટલ એક્સપેન્ડિચર અને 5G ના કૉમ્પટીટિવ પ્રાઈઝ પર પણ જોવા મળી શકે છે. જેપીમૉર્ગનના અનુસાર આવામાં ભારતીય એરટેલના ફ્રી કેશ ફ્લો અને રોકાણ કરેલી મૂડી પર રિટર્ન (RolC)માં ઘટાડો જોવા મળી શકે છે. 5G રોલાઉટ અને વધુથી વધુ ગ્રાહકોને તેનાથી જોડાવાને કારણે આ વર્ષ 2023માં ટેરિફમાં વધારાની સંભાવના ઓછી દેખાય રહી છે. આ બધી જગ્યા પર જેપી મૉર્ગનએ તેની રેટિંગને ડાઉનગ્રેડ કર્યા છે અને ટારગેટ પ્રાઈઝ 860 રૂપિયાથી ઘટીને 710 રૂપિયા કર્યા છે.

બે મહિનામાં 14 ટકા તૂટ્યો છે શેર

છેલ્લા વર્ષ એરટેલના શેર 25 નવેમ્બર 2022એ 877.10 રૂપિયાના રિકૉર્ડ ઉચાઈ પર પહોંચી ગયા હતા. જો કે તેના બાદ તેમાં ઘણો દબાણ જોવા મળ્યો છે અને અત્યાર સુધી આ બે મહિનામાં જ 14 ટકા તૂટ્યો છે. વિદેશી બ્રોકરેજ ફર્મના અનુસાર તેમાં 6 ટકાના ઘટાડા વધુ વધી શકે છે.

ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

બધા સમાચાર

+ વધુુ વાંચો