Get App

લાંબાગાળાના રોકાણકારોએ સારા વેલ્યુએશન જોઇને રોકાણ કરવું જોઇએ- દેવર્ષ વકીલ

HDFC Securitiesના Prime Research Head દેવર્ષ વકીલના મતે વૈશ્વિક પરિબળોને કારણે ભારતીય બજારમાં વોલેટાલિટી જોવા મળી રહી છે અને ક્રૂડના ભાવમાં ઉછાળાથી મોંઘવારીનું અનુમાન વધી રહ્યું છે. જોકે, સ્થાનિક ડિમાન્ડ પર ચાલતી કંપનીઓમાં ગ્રોથ સારો છે. તેમણે કહ્યું કે લાંબાગાળાના રોકાણકારોએ વેલ્યુએશનને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ. બેન્કિંગ અને ફાઇનાન્સિયલ શેર્સ ઉપરાંત ટૂંકાગાળામાં NBFCs, પ્રાઇવેટ બેન્ક્સ, નાની IT કંપનીઓ, ઇ-કોમર્સ અને એપ આધારિત એગ્રીગેટર્સ પર નજર રાખી શકાય છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 16, 2026 પર 4:45 PM
લાંબાગાળાના રોકાણકારોએ સારા વેલ્યુએશન જોઇને રોકાણ કરવું જોઇએ- દેવર્ષ વકીલલાંબાગાળાના રોકાણકારોએ સારા વેલ્યુએશન જોઇને રોકાણ કરવું જોઇએ- દેવર્ષ વકીલ
HDFC Securitiesના દેવર્ષ વકીલના મતે લાંબાગાળાના રોકાણકારોએ સારા વેલ્યુએશનને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ.

HDFC સિક્યોરિટીઝના પ્રાઈમ રિસર્ચના હેડ દેવર્ષ વકીલનું કહેવુ છે કે વૈશ્વિક પરિબળોના કારણે બજારમાં ઘણી વોલેટાલિટી આવી રહી છે. ક્રૂડમાં ઉછાળાના કારણે મોંઘવારીનું અનુમાન વધી રહ્યું છે. સ્થાનિક ડિમાન્ડ પર ચાલનારી કંપનીઓમાં ગ્રોથ સારો છે.

દેવર્ષ વકીલના મતે એટલા માટે ભારતીય ઇકોનોમી થોડા સારા સ્તર પર છે. લાંબાગાળાના રોકાણકારોએ સારા વેલ્યુએશન જોઇને રોકાણ કરવું જોઇએ. બેન્કિંગ અને ફાઇનાન્સના શેર્સમાં હાલ રોકાણ કરી શકાય.

બધા સમાચાર

+ વધુુ વાંચો