Market outlook : ભારતીય શેરબજાર માટે 30 એપ્રિલનો દિવસ ઘટાડાનો રહ્યો હતો. આઈટી (IT) સેક્ટરને બાદ કરતાં અન્ય તમામ ક્ષેત્રોમાં જોવા મળેલી વેચવાલીને કારણે નિફ્ટી 24,000 ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડીને નીચે બંધ થયો છે. હવે રોકાણકારોની નજર 4 મે ના રોજ ખુલનારા બજાર પર છે. ચાલો જાણીએ કે માર્કેટમાં ઘટાડા પાછળના કારણો શું હતા અને આગામી સમયમાં બજારની ચાલ કેવી રહી શકે છે.

