મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો સામાન્ય રીતે લાંબા ગાળાનું રોકાણ કરતા હોય છે. પરંતુ ઘણા કેસોમાં યુનિટ ધારકોનું અચાનક નિધન થઈ જાય છે. પરિણામે રોકાણ યોજના આખી ખોરવાઈ જતી હોય છે. જોકે, મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારનું નિધન થાય તો તેમના કુટુંબીઓએ આ રોકાણ મેળવવા માટે કઈ પ્રક્રિયામાંથી પસાર થવુ એ બાબતે જણાવવામાં આવ્યું છે.