Atal Bihari Vajpayee 101st Birth Anniversary: ભારતીય રાજકારણના અજાતશત્રુ ગણાતા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા તથા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 25 ડિસેમ્બર 2025ના રોજ 101મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. અટલજી માત્ર એક કુશળ રાજનેતા જ નહીં પરંતુ એક સંવેદનશીલ કવિ અને પ્રખર વક્તા પણ હતા. તેઓ ભારતના સૌથી સન્માનિત નેતાઓમાં સ્થાન ધરાવે છે. અટલ બિહારી વાજપેયી કુલ 3 વખત ભારતના વડાપ્રધાન પદ પર રહ્યા હતા. તેઓ સૌપ્રથમ 1996માં ટૂંકા ગાળા માટે અને ત્યારબાદ 1998થી 2004 સુધી સતત બે કાર્યકાળ પૂરા કરીને દેશનું નેતૃત્વ કર્યું હતું.

